સુરતઃસ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિશ્વ વલ્લભ સ્વામી દ્વારા કથિત રીતે દલિત સમાજ વિરૂધ્ધ કથામાં શબ્દો ઉચ્ચારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
જેના આધારે દલિત સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેનદપત્રો આપવામાં આવ્યા હતાં. સાથે જ સુરત કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેથી સુરત કોર્ટે ડીવાયએસપી એસસી એસટી સેલને તપાસ કરીને મહિનામાં રિપોર્ટ સબમીટ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
સુરત કોર્ટમાં વિશ્વવલ્લભ સ્વામિ તથા યુ ટ્યુબમાં વીડિયો અપલોડ કરનાર સહિતના તપાસમાં બહાર આવે તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે પ્રવિણ હમીર મોખરા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મુદ્દે કોર્ટે ડી વાય એસ પી એસ સી એસટી સુરત સીટી ને તપાસ આદેશ કર્યો છે જેમાં કોર્ટે એક મહિનાની અંદર પોલીસને તપાસ કરી રિપોર્ટ કરવા જણાવ્યું છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો